July 29, 2013

ના પાડવાના પ્રકાર

ક્યારેક ના પાડી દેવાથી ઘણી સમસ્યાઓ બહુ સરળતાથી પતી જાય છે. ઘણા ડાહ્યા માણસો ના પાડી શકવાની અશક્તિ કે અનિચ્છાને લીધે સ્વયં અથવા સપરિવાર  ત્રાસ ભોગવે છે. ડેલ કાર્નેગીએ સુખી થવાના જે માર્ગો બતાવ્યા છે એમાં એક માર્ગ છે: જીવનમાં ના કહેતાં શીખો ! એ કામ ડેલ કાર્નેગી ધારે છે એટલું સરળ નથી, કારણ કે આ ભારતીય સમાજ છે, જેમાં દંભની એક આખી ભાષા ઉત્પન્ન થઈ ચૂકી છે. કાળક્રમે અનુભવી માણસની જીભ પણ પ્રપંચ કરતાં શીખી જાય છે ! ના કેમ પાડવી? ખરાબ લાગશે ! અને હા પાદીશ  તો આપણને સંત્રાસ થશે. આપણે ના પાડી શકતા નથી માટે દુષ્ટ માણસો ક્યારેક આપણો દુરુપયોગ કરી જતા હોય છે...! અને પછી સતત કરતા રહે છે... 

શ્રેષ્ઠ માર્ગ છે સ્પષ્ટ સ્વરે કહીદેવું - ના! અને એ પ્રશ્ન ત્યાં જ સમાપ્ત થઈ જાય છે. પણ વ્યાવહારિક માર્ગો સંસ્કૃતના શ્લોકોમાં છે. સંસ્કૃતનાં સુભાષિતોમાં ઘણી વાર આધુનિક સાઈકૉલૉજીની સમસામયિકતા જોઈ શકાય છે ! સંસ્કૃત અને સાઈકૉલૉજી (માનસશાસ્ત્ર)ને શું સંબંધ? સંસ્કૃતમાં એક વર્તણૂકશાસ્ત્ર (બિહેવરિઅરિઝમ) છે, નીતિશાસ્ત્ર (ઍથિક્સ) છે અને અલબત્ત માનસશાસ્ત્ર તો છે જ.

સંસ્કૃતના એક શ્લોકમાં ના પાડવાની છ રીતો બતાવી છે. શ્લોક છે:  मौन कप्ल विलम्बश्च प्रयाणं भूमिदर्शनम...भृकुट्यन्यमुखी वार्ता नकार: षडविथ: स्मृत: ! આમાં છ પ્રકારો વર્ણવ્યા છે : મૌન રાખવું અથવા બોલવું જ નહીં. ઉત્તર આપતાં સમયનો ગાળો રાખવો (મને...એમ કરોને ! આવતા ગુરુવારે ફોન કરશો?). ચાલ્યા જવું. (એક્સક્યુઝ મી. જરા સાહેબને મળવા જવું પડશે!). જમીન તરફ જોયા કરવું. ભવાં ખેંચીને બીજા તરફ જોઈને વાત કર્યા કરવી. અને છઠ્ઠો પ્રકાર - ના પાડી દેવી !

આ શ્લોક ભારતીય દેશકાળને અનુરૂપ છે અને સમય-અસમય આપણે આનો અનુભવ કરતા રહી છીએ (-અથવા કરાવતા રહીએ છીએ!).

(અર્થશાસ્ત્ર, પૃ.1-2)

No comments:

Post a Comment