July 29, 2013

પુરુષ અને પંડિત શબ્દોની વ્યુત્પત્તિ

સંસ્કૃત શ્લોકમાં લાઘવ સાથે લક્ષ્યવેધ હોય છે, જે સુરેખ કવિતાનું પ્રથમ લક્ષણ છે. શબ્દો બગાડ્યા વિના જે કહેવું એ સ્પષ્ટ અને વેધક રીતે કહેવાય છે. દરેક શબ્દની વ્યુત્પત્તિ હોય છે. 'પુરુષ' એટલે? ઉદ્યોગપર્વમાં પુરુષ શબ્દની વ્યાખ્યા સમજાવી છે: પૂરં વિષહતે યસ્માત્તસ્માત પુરુષ ઉચ્યતે ! અર્થ થાય છે - જે પ્રાણી પુર અથવા આવેશને સહન કરે છે એ પુરુષ કહેવાય છે....! કંઈક આ જ પ્રકારની એક વ્યાખ્યા પંડિત વિષેની છે. પંડિત વિષે અનગિનત વ્યાખ્યાઓ સંસ્કૃત સાહિત્યમાં વિખરાયેલી પડેલી છે. પણ મારી દ્રષ્ટિએ એક શ્લોકની બીજી અને અંતિમ લીટીમાં કદાચ પંડિત વિષેની યોગ્ય વ્યાખ્યા અપાઈ છે : આત્મશક્તિ સમં કોપં યો જાનાતિ સ પંડિત: ! અર્થ થાય છે - પોતાની શક્તિની સીમાની અંદર રહીને ક્રોધ કરવાનું સમજે છે એ જ પંડિત છે...

(અર્થશાસ્ત્ર, પૃ.2-3)

No comments:

Post a Comment