October 5, 2015

માણસ વાંદરામાંથી આવ્યો છે?

'તમે કહો છો કે માણસ વાંદરામાંથી આવ્યો છે. તમે હશો, હું નથી. આ એક જૂઠ છે. તમે લોકોએ બનાવ્યું છે. તમે કહો છો કે માણસ વાંદરામાંથી આવ્યો છે તો મને કહો કે પોપટ કોનો બેટો છે? પોપટ કેવી રીતે આવ્યો? એની ચાંચ અને લીલાં પીછાં હજી એવાં જ કેમ રહ્યાં છે? અને વાંદરા બદલાઈ જાય, એમની પૂંછડીઓ ખરી પડે અને એ માણસ બની જાય તો કહો કે હજુ એ શા માટે જીવતા રહ્યા છે? તમારા પછી કેમ કોઇ ફેરફાર થયો નથી? અજંતા ઈલોરા જુઓ, આપણી જૂની ગુફાઓ જુઓ...બુદ્ધની મૂર્તિ જુઓ. આપણા કરતાં એમનો ચહેરો વધારે સ્વરૂપવાન છે. એ વાંદરાના બેટા છે? તદ્દન બકવાસ-'

- રાષ્ટ્રપતિ ઝૈલસિંઘ, ચંડીગઢમાં ભરાયેલા નૃવંશશાસ્ત્રીઓના આંતરરાષ્ટ્રીય સંમેલનમાં.
(રાજકારણ-1માંથી)

No comments:

Post a Comment